વેકેશનની શરૂઆત થતા જ કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે. ત્યારે ઘણા લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિશે માહિતગાર નથી હોતા. અમુક સ્થળો વિશે તમને જાણકારી પણ નહી હોય. ગુજરાતમાં દેશનો સૌથી વિશાળ 1600 કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે, સાથોસાથ પવિત્ર યાત્રાધામો ડુંગર અને રણ અને પહાડો પણ છે. તો આજના આ લેખની અંદર તમને ગુજરાતમાં આવેલા ફરવા લાયક સ્થળો વિશે જાણકારી આપવાનો છું.
સાપુતારા
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો 30 ડિગ્રીની ઉપર નથી જતો. ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે. સાપુતારામા આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. આ ઉપરાંત અહી પહાડો ઉપરથી સનસેટ અનેક સનરાઇઝ પોઇન્ટ નો લહાવો છે.
સોમનાથ
બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લીંગ એટલે સોમનાથ. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં સાગર કાંઠે આવેલું ભવ્ય મંદિર છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની સાથે તોફાની દરિયો પણ છે. આ ઉપરાંત સોમનાથમાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ પણ જોવાલાયક છે.
તારંગા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં તારંગા આવેલું છે.તારંગા હિલ નામે ઓળખાતી 1200 ફૂટ ઊંચી ટેકરી આવેલી છે.આ અરવલ્લીની પર્વતમાળા નું એક ભાગ જ છે. માઈલો સુધી પથરાયેલી અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે. સાથે સાથે ઘણા જૈન મંદિરો આવેલા છે. જેન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંની મુલાકાત પણ મનોહર છે.
ગીરનું જંગલ
ગીર અભ્યારણ એટલે સાવજોની વસતી ધરાવતો અદભુત અરણ્ય સંગમ. એશિયામાં ફક્ત ગીર અભ્યારણમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. દેશ અને દુનિયામાં મોટી સંખ્યામાં લોકોં ગીરમાં સિંહો જોવા ઉમટી પડે છે. ત્યારે ગુજરાતીઓ માટે તો સૌભાગ્યની તક કહેવાય. ગીરનું જંગલ પ્રકૃતિની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. ભવ્ય સાંસ્કૃતિક ધરોહર ધરાવતા ગીરના જંગલ સાથે મહાભારતના પણ અમુક અંશો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે. ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ છે, જયાં તમે રોકાય છો.
ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે. વિસાવદરમાં પણ રોકાઇ શકો છો.
દીવ
દીવ આમ તો કેન્દ્રશાસિત પ્રદેશ છે. સરકારી રીતે દીવ ને ગુજરાતમાં ગણવામાં નથી આવતુ, પણ ભૌગોલિક રીતે ગુજરાત સાથે જ જોડાયેલું છે. તેની ફરતે વિશાળ દરિયા કિનારા પાસે આવેલો નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ઉપરાંત દીવનું આહલાદક વાતાવરણ દિલને ગાર્ડન કરી દે છે. સાથોસાથ ધોધલા અને જલંધર બીચ પણ ફરવા લાયક સ્થળો છે.
પાલીતાણા
જૈનોનું એક પ્રમુખ તીર્થ સ્થળોમાં ભાવનગરના નજીકમાં પાલીતાણા નો સમાવેશ થાય છે. પાલીતાણા ને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે.આ જૈન મંદિરોમાં અદભૂત કોતરણીઓ અને પવિત્રતાનું સંગમ આવેલો છે. અહીં આહલાદક અનુભૂતિ અને શાંતિનો અનુભવ થાય છે. અહીં દેરાસર પાસે મુસ્લિમોની પવિત્ર દરગાહ આવેલી છે. પાલીતાણા નજીક હસ્તગીરી પણ ફરવા લાયક સ્થળ છે.
ગિરનાર
ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠ ઊંચાઈ એટલે જુનાગઢ. હવે ગિરનાર ગિરના જંગલોને લીધે જાણીતું છે.ગિરનાર ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનાર નો ધોધ ઝરણાં અને અહીં મળતી અનેક ઔષધીઓ ગિરનારની ટોચ ઉપર અદભુત વિરાજ માન છે. તો ઉપરકોટનો કિલ્લો પણ તેની ભવ્યતા માટે આકર્ષક છે.
માંડવી બીચ
કચ્છ જિલ્લામાં આવેલો માંડવીમાં દરિયાકિનારો અહલાદક છે. આ બીચ વિદેશોના બીચ જેવો જ એક બીચ છે. તો દૂર સુધી સ્ફટિકમય જોવા મળે છે. અહીં કલાઓના નમૂના પણ જોવા મળી જાય છે. કચ્છના ભરત ગુંથણ ઇત્યાદિ કલાઓ જોવા અને જાણવા માટે માંડવી ની મુલાકાત અચૂક લેવી જોઈએ.
ચોરવાડ બીચ
ગીર સોમનાથમાં આવેલું લોકપ્રિય બીચ એટલે ચોરવાડ. અહીં દરિયાકિનારે હોલિડે કેમ્પ નું પણ આયોજન કરવામાં આવે છે. સહેલાણીઓ દૂરદૂરથી બીચની સુંદરતાને આકર્ષાઈને ચોરવાડ ફરવા આવે છે.આ ઉપરાંત અહીં આવેલું નવાબ નો પેલેસ પણ ખાસ જોવાલાયક છે.
પોલો ફોરેસ્ટ
પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ છે. તે હિંમતનગર થી 70 કિલોમીટર દૂર અને અમદાવાદ થી ૧૫૦ કિ.મી દુરના અંતરે આવેલ છે. આ જંગલની વચ્ચે થી હરણાવ નદી વહેતી હોય, મોટા બંધ અને અનેક નાનાં આડા બંધ બાંધવામાં આવ્યા છે. અહિ તમે બારે મહિના આવી શકો છો. અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે, ચોમાસુ હોય ત્યારે. પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલીને દેખાશે. જેને જોઈને આપનું મન મોહી લેશે. હાલમાં અહિયાં રોકાવા માટેની કોઈ સુવિધા ઊભી થઈ નથી.
અજંતા અને ઇલોરા ગુફાઓ
અજંતા અને એલોરા ગુફાઓ ગુજરાતમાં જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અજંતા ગુફાઓ ખોદકામ કરેલી બૌદ્ધ ગુફાઓનું એક વ્યાપક જૂથ છે, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 200 કિમી ઉત્તર -પૂર્વમાં સ્થિત સમાન નામના ગામની બહાર સ્થિત છે. 1 કિલોમીટરથી વધુ લાંબી ખડકના ચહેરા પરથી ગુફાઓ ખોદવામાં આવી હતી. તેઓ સાધુઓ માટે આશ્રમ અને મકાનો બંનેનો સમાવેશ કરે છે અને 200 પૂર્વેની છે.
ભુજ
ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતી જગ્યાઓમાંની એક ભુજ છે. અહીંથી મુલાકાત લેવા માટે ઘણી જગ્યાઓ છે. ભુજની આસપાસ, એવા ઘણા ગામો છે જે લોકો અન્વેષણ કરી શકે છે. સ્વામી નારાયણના મંદિરોમાં વાંસળી વગાડતી અને તેની મુખ્ય પત્ની રુક્મિણી સાથે તેની જમણી બાજુએ ભગવાન કૃષ્ણની વિશાળ પ્રતિમા છે.
મહાબળેશ્વર
મહાબળેશ્વર ગુજરાતના સૌથી મહત્વના પ્રવાસન સ્થળોમાંનું એક છે. 813 મીટરની itudeંચાઈએ આવેલું, તે હરિયાળી વનસ્પતિથી ઘેરાયેલું છે. પ્રકૃતિપ્રેમીઓ માટે આ સ્વર્ગ છે જે આસપાસના સૌંદર્યનો આનંદ માણવા માંગે છે. મહાબળેશ્વર પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકો માટે એક આદર્શ સ્થળ છે. આસપાસની મનોહર સુંદરતા એ એક વધારાનો ફાયદો છે. મહાબળેશ્વર અસંખ્ય ટ્રેકિંગ ટ્રેલ્સ માટે પ્રખ્યાત છે. આસપાસની ટેકરીઓ અન્વેષણ કરવા યોગ્ય છે. પહેલા ક્યારેય ન અનુભવાતા અરણ્યનો અનુભવ કરવા માટે કોઈ દિવસના પ્રવાસ માટે અથવા રાતોરાત ટ્રેક પર જઈ શકે છે.
પાટણ
પાટણ અથવા પટણી ભારતના ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં આવેલું એક નાનું શહેર છે. તે તેના સમૃદ્ધ વારસા અને ભવ્ય જૈન મંદિરો માટે જાણીતું છે. આ શહેરની સ્થાપના મૌર્ય અને ગુપ્તાઓએ કરી હતી, જેમણે અહીં ઘણાં ઈંટના મંદિરો બનાવ્યા હતા. પરમારોના શાસન સમયે, પાટણ પર બૌદ્ધ રાજા ગુગનનું શાસન હતું, જેમણે ઘણા જૈન મંદિરો બાંધ્યા હતા. ઇ.સ .934 માં પાટણ પર વલ્લભીના સામંતોનું શાસન હતું. વલ્લભી સામંતોએ શ્રી દિગમ્બર જૈનલાલ મંદિરનું જૈન મંદિર બનાવ્યું. તે પાટણનું સૌથી મોટું અને સૌથી સુંદર જૈન મંદિર છે.
અંબાજી
અંબાજી ગુજરાતનું ખૂબ જ પરંપરાગત મંદિર છે. તે પવિત્ર હિન્દુ મંદિરોમાંનું એક હોવા માટે પણ પ્રખ્યાત છે. મંદિરમાં કોઈ મૂર્તિ નથી, પરંતુ લોકો હજી પણ તેના માટે સમર્પિત છે કારણ કે તેમાં હીલિંગ શક્તિઓ છે કારણ કે અહીં ઘણા લોકો સાજા થયા છે.
તો મિત્રો આશા રાખું છું કે આજનો આ મારો લેખ વાંચ્યા પછી આ સ્થળો ની જરૂર થી મુલાકાત લેશો અને તમારા ફેમિલીને ફ્રેન્ડસર્કલમાં પણ તેને શેર કરશો.તો મિત્રો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો કે તમને સૌથી સરસ સ્થળ કયું લાગ્યું અને તમે કયા સ્થળે ફરવા જવાના છો.